Advertisements

ભગવાન ગૌતમ બુદ્ધ નો ઇતિહાસ, વાર્તા, જન્મ, વિચારો, માહિતી | Gautam Buddha in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now
ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ, ગૌતમ બુદ્ધ ના વિચારો, ગૌતમ બુદ્ધ નો ઇતિહાસ, ગૌતમ બુદ્ધ ની વાર્તા તથા ગૌતમ બુદ્ધ અન્ય રસપ્રદ માહિતી, Gautam Buddha in Gujarati, gautam buddha history in gujarati, gautam buddha story in gujarati
Advertisements

આજે સમગ્ર વિશ્વ યુદ્ધની અણી પર ઉભું છે. કોણ જાણે ક્યારે, ક્યાં અને કેવી રીતે યુદ્ધની ચિનગારી ભડકી ઉઠશે અને એક જ ક્ષણમાં આખી દુનિયા રાખ થઈ જશે.. યુદ્ધની લપેટમાં માનવ જીવન બરબાદ થઈ રહ્યું છે. આજે રશીયા અને યુક્રેન વચ્ચે છેલ્લા એક વર્ષથી યુધ્ધ ચાલી રહયુ છે. જો આપણે વિશ્વમાં યુદ્ધમાંથી મુકિત મેળવી સમગ્ર વિશ્વમાં શાંતિની સ્થાપના કરવી હોય ભગવાન ગૌતમ બુદ્ધના કહેલા માર્ગ પર ચાલવું પડશે.

ભગવાન બુદ્ધ એક પ્રસિદ્ધ ધાર્મિક સુધારક અને મહાન ફિલસૂફ હતા. તેમણે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી અને લોકોના મનમાં એક નવી અને શ્રેષ્ઠ દાર્શનિક વિચારધારાની રચના કરી.ભગવાન બુદ્ધને ભગવાન વિષ્ણુના આઠમા અવતાર પણ માનવામાં આવે છે. ભગવાન બુદ્ધની બધી ઘટનાઓનું વર્ણન વિવિધ બૌદ્ધ ગ્રંથોમાં જેવા કે – બુદ્ધચરિત મહાવસ્તુ, સુત્તનિપાત, લલિતવિસ્તર, ત્રિપ્તક વગેરેમાં કરવામાં આવ્યું છે.

ગૌતમ બુદ્ધનો જીવનપરિચય (Gautam Buddha Biography in Gujarati):-

મુળ નામઃસિદ્ધાર્થ ગૌતમ
અન્ય પ્રચલિત નામોઃગૌતમ બુદ્ધ • સિદ્ધાર્થ ગૌતમ • મહાત્મા બુદ્ધ • શાક્યમુનિ • તથાગત
જન્મ તારીખઃઇ.સ. પૂર્વે ૫૬૩ 
જન્મ સ્થળઃલુંબિની, આજના નેપાળમાં
પિતાનું નામઃરાજા શુદ્ધોધન
માતાનું નામઃ• માયાદેવી • મહાપ્રજાપતિ (ગૌતમી) સાવકી માતા
વંશઃઇક્ષ્વાકુ શાક્ય વંશ
ધર્મઃબૌદ્ધ ધર્મ
પ્રસિદ્ધિઃ● બૌદ્ધ ધર્મના સ્થાપક ● ભગવાન વિષ્ણુનો નવમો અવતાર
પત્નીનું નામઃરાજકુમારી યશોધરા
બાળકોઃરાહુલ (પુત્ર)
સમકાલીન રાજાઃ● રાજા પ્રસનજીત (કોસલ સામ્રાજ્ય) ● રાજા બિંબિસાર (મગધ સામ્રાજ્ય)
ગુરૂનું નામઃ● આચાર્ય આલાર કલામ ● ઉદ્દક રામપુત્ત
શિષ્યનું નામઃઆનંદ
નિર્વાણ તારીખઃઇ.સ. પૂર્વે ૪૮૩ 
નિર્વાણ સ્થળઃકુશીનગર, ભારત
ગૌતમ બુદ્ધ જયંતિ 2023(Gautam Buddha Jayanti 2023)05 મે 2023

ગૌતમ બુદ્ધનો જન્મઃ

કપિલવસ્તુના રાજા શુદ્ધોદનને કોઈ સંતાન ન હતું. આ કારણથી સંતાનની લાલસામાં તેણે બે લગ્ન કર્યા હતા. જેમાં મોટી રાણીનું નામ મહામાયા અને નાનીનું નામ પ્રજાપતિ હતું. આધેડ વય સુધી દાન અને દેવતાઓની પૂજા કર્યા પછી પણ તે બાળકનું સુખ મેળવી શક્યા નહીં.

કપિલવસ્તુના રાજા શુદ્ધોદનને કોઈ સંતાન ન હતું. આ કારણથી સંતાનની લાલસામાં તેણે બે લગ્ન કર્યા હતા. જેમાં મોટી રાણીનું નામ મહામાયા અને નાનીનું નામ પ્રજાપતિ હતું. આધેડ વય સુધી દાન અને દેવતાઓની પૂજા કર્યા પછી પણ તે બાળકનું સુખ મેળવી શક્યા નહીં.

ખાસ વાંચો- યુદ્ધ નહી પણ બુદ્ધ નિબંધ

તેમના રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હતી. પણ વારસદાર ન હોવાથી શુદ્ધોદનને એ બધું નિરર્થક લાગ્યું. રાજા-પ્રજા સૌ કોઇ પુત્ર પ્રાપ્તીની રાહ જોતા હતા. ત્યારે દેવોએ બોધિસત્વને અવતાર લેવા વિનવ્યા. અષાઢી પુનમના તહેવારે મહામાયાને એક દિવ્ય સ્વપ્ન આવ્યુ.

સ્વપ્નમાં પૂર્વ-પશ્ચિમ, ઉત્તર દક્ષિણ એમ ચાર દિશાના દેવો આવ્યા. તેમણે માયાદેવીનો પલંગ ઊંચકયો. એ પલંગ જાદૂઈ શેતરંજીની માફક ઉડ્યન કરતો, ગામ ને નગર વટાવટો તો હિમાલયનાં શિખરો પાસેના એક પવિત્ર સરોવર પાસે આવ્યો. ત્યાં ચાર રાણીઓએ માયાદેવીનો સત્કાર કર્યાં અને સુગંધી દ્રવ્યોથી તેને સ્નાન કરાવી, દિવ્ય વસ્ત્રાભૂષણોથી શણગારી એક સુંદર સુવર્ણપ્રાસાદના વરંડામાં પલંગ પર સુવાડી ત્યાંથી તેની નજર દૂર દિવ્ય તેજઃ પુંજમાં સ્નાન કરતા એક ઉત્તુંગ ગિરિ પર પડી.

એનાં શિખરો પર એક શ્વેત હાથી હતો. હાથીની સૂંઢમાં સુંદર શ્વેત પદ્મ હતું. માયાદેવીની ત્યાં નજર પડતાં જ હાથી ત્વરિત ગતિથી પર્વત ઊતરી એ સુવર્ણપ્રાસાદમાં આવ્યો. એના આગમનથી જાણે વિજયડંકા વાગવા લાગ્યા. માયાદેવીની ત્રણ વાર પ્રદક્ષિણા કરી, દક્ષિણ બાજુબંધી એ જાણો તેની કૂખમાં પ્રવેશ્યો ને રાણીની આંખ ખૂલી ગઈ.

સ્વપ્નથી અતિ પ્રસન્ન થઈ રાણીએ તેના પતિને વાત કરી. રાજાએ પ્રાતઃકાળે સ્વપ્નપાઠકોને બોલાવીને સ્વપ્નનું ફળ પૂછ્યું, તેમણે ખુલાસો કર્યા કે રાણી એક અલૌકિક બુદ્ધિવાળા પુત્રની માતા બનશે, જે પુત્ર કાં તો ચક્રવર્તી રાજા થશે અથવા તો પૃથ્વી પરની અજ્ઞાનતા અને પાપબોજ દૂર કરનાર મહાપુરુષ થશે.

ખાસ વાંચો- જો મનુષ્ય અમર હોત તો નિબંધ

તે દિવસોમાં, પ્રસૂતિ માટે માતાના ઘરે જવાનો રિવાજ હતો. રાણી મહામાયા પાલખીમાં દેવદહ જવા રવાના થઈ. દેવદહ જવા માટે લુમ્બિની જંગલમાંથી પસાર થવું પડતું હતું. તે સમયે સાલ વૃક્ષોનું જંગલ હતું. જ્યારે માતા મહામાયા અહીં પધાર્યા હતા. તો ચારે બાજુ કુદરતી સૌંદર્ય પથરાયેલું હતું.

માતા મહામાયા એ વાતાવરણથી પ્રભાવિત હતી. તે પાલખીમાંથી ઉતરીને શાલના ઝાડ તરફ ગઈ. તેણે એક ડાળી પકડી. અચાનક તેને પ્રસૂતિની પીડા થવા લાગી. પૂર્વે 563માં વૈશાખ પૂર્ણિમાના દિવસે સિદ્ધાર્થ ગૌતમનો જન્મ થયો હતો. બુદ્ધના આગમનને સમગ્ર સૃષ્ટિએ આવકાર્યું હતું. ભગવાન બુદ્ધનું જન્મસ્થળ લુમ્બિની નેપાળના તરાઈમાં છે. તેનું હાલનું નામ રૂપાંદેહી છે.

જન્મના ૭મા દિવસે માતા મહામાયાનું મૃત્યુઃ

માતા મહામાયા નવજાત શિશુ સાથે કપિલવસ્તુ પરત ફર્યા. નામકરણ વિધિ પછી પાંચમા દિવસે બાળકનું નામ સિદ્ધાર્થ રાખવામાં આવ્યું. સિદ્ધાર્થ એટલે જેનો બધાજ અર્થ સફળ થઇ ગયા છે તે. તેમના ગોત્ર ગૌતમ મુનિના કારણે તેઓ સામાન્ય લોકોમાં સિદ્ધાર્થ ગૌતમના નામથી પ્રખ્યાત થયા.

ગૌતમ બુદ્ધનું શિક્ષણઃ-

મહાત્મા બુદ્ધે તેમનું પ્રારંભિક શિક્ષણ ગુરુ વિશ્વામિત્ર પાસેથી મેળવ્યું હતું, તેમણે તેમના ગુરુ વિશ્વામિત્ર પાસેથી વેદ અને ઉપનિષદનું શિક્ષણ મેળવ્યું હતું, વેદ અને ઉપનિષદોની સાથે તેમણે યુદ્ધ અને રાજાશાહીનું શિક્ષણ પણ લીધું હતું, તેઓ ઘોડેસવાર, તલવારબાજી, કુસ્તી, તીરબાજી પણ શીખ્યા હતા. -ઘોડેસવાર, તલવારબાજી, કુસ્તી, તીરબાજી અને રથ ચલાવવામાં કોઈ તેમની હરીફાઈ કરી શકતું ન હતું.

મહાત્મા ગૌતમ બુદ્ધના લગ્નઃ-

16 વર્ષની ઉંમરે સિદ્ધાર્થના લગ્ન રાજકુમારી યશોધરા સાથે થયા હતા. તેમની પત્ની યશોધરા સાથે તેઓ ઋતુ પ્રમાણે પિતા દ્વારા બનાવેલા ભવ્ય મહેલમાં રહેવા લાગ્યા અને આનંદથી જીવન વિતાવવા લાગ્યા. તેમને એક પુત્ર પ્રાપ્ત થયો હતો જેનું નામ તેમણે રાહુલ રાખ્યું હતું. પરંતુ તેમ છતાં દુન્યવી મોહ તેમને સાંસારિક બંધનોમાં બાંધી ન શક્યો.

ખાસ વાંચો- એક ભારત શ્રેષ્ઠ ભારત નિબંધ

સિદ્ધાર્થ ગૌતમનો ત્યાગ અને મહાભિનિષ્ક્રમણઃ

આચાર્યો દ્વારા કરવામાં આવેલી આગાહીઓ અનુસાર, બુદ્ધ કાં તો ચક્રવર્તી સમ્રાટ બનશે અથવા સન્યાસ લેશે. આ વાતથી પરેશાન થઈને રાજા શુદ્ધોદને નિર્ણય કર્યો કે, તે પોતાના પુત્રને બધા દુ:ખથી દૂર રાખશે. કારણ કે સમાજના દુ:ખ અને વેદનાથી કંટાળીને જ વ્યક્તિ સાધુ બને છે.

જો તે દુ:ખથી દૂર હશે, હંમેશા સુખ ભોગવશે. તો તેને સંત બનવાનો વિચાર પણ નહી આવે. આ કારણથી રાજા શુદ્ધોધને બુદ્ધને તમામ સુખ-સુવિધાઓ આપી. ચારેબાજુ ખુશીઓ હતી. આ કદાચ તેમની ભૂલ હતી. કારણ કે માણસને વેદનાનો આટલો કંટાળો આવતો નથી. જેટલો તે સુખથી કંટાળી જાય છે.

એક દિવસ ભગવાન બુદ્ધે શહેરની મુલાકાત લેવાનું વિચાર્યું. તેમણે પોતાની ઈચ્છા સારથિ સામે મૂકી. અને નકળી ગયા નગર યાત્રાએ. તેઓ સિદ્ધાર્થનગરમાં વિહરતા હતા. ત્યાં તેમણે એક વૃદ્ધ માણસને જોયો. વૃદ્ધ માણસ બરાબર ચાલી પણ શકતો ન હતો. સિદ્ધાર્થ સમક્ષ આ મૂંઝવણ હતી. કારણ કે તેમણે આજ સુધી કોઈ વૃદ્ધને જોયો ન હતો.

તેમણે તેના વિશે સારથિને પૂછતાં સારથીએ કહ્યું કે તે વૃદ્ધ છે. દરેક વ્યક્તિ એક દિવસ વૃદ્ધ થાય છે. આ કુદરતનો નિયમ છે. સિદ્ધાર્થે પોતાની તરફ જોયું અને પ્રશ્ન કર્યો કે શું હું પણ એક દિવસ આવો બનીશ? સારથિએ જવાબ આપ્યો. હા, દરેક વ્યક્તિ વૃદ્ધ થાય છે. આ પછી સિદ્ધાર્થ આગળ વધ્યા. તેમણે એક બીમાર માણસને રસ્તાની બાજુમાં પડેલો જોયો. જે પીડાથી બૂમો પાડી રહ્યો હતો.

સિદ્ધાર્થએ સારથિને તેના પૂછતાં સારથીએ કહ્યું કે આ વ્યક્તિ બીમાર છે. જે કોઈ રોગને કારણે પીડામાં છે. આ શરીર ક્યારેક બીમાર પડી જાય છે. આવું લગભગ દરેક વ્યક્તિ સાથે પણ થાય છે. આ બંને ઘટનાઓ જોઈને ગૌતમ ખૂબ જ પરેશાન થઈ ગયા. અને તેઓ આગળ વધ્યા.

અંતે, તેમણે શબ યાત્રા જોઇ. કેટલાક માણસો એક માણસની લાશ લઈને જઈ રહ્યા હતા. સિદ્ધાર્થે ફરી કુતૂહલવશ પૂછ્યું. તો સારથિએ જવાબ આપ્યો. દરેક માણસે એક દિવસ મરવાનું છે. આમાંથી કોઈ બચી શકે તેમ નથી. આ બધું જોઈને સિદ્ધાર્થના મનમાં ખળભળાટ મચી ગયો. તેમનું મન સાંસારિક જીવનમાંથી ઉઠી ગયું. પછી એક દિવસ રાત્રે કોઈને કહ્યા વગર, તેમણે ઘર છોડી દીધું. તે સમયે ગૌતમની ઉંમર 29 વર્ષની હતી.

ગૌતમ બુદ્ધ: સત્યની શોધઃ-

સિદ્ધાર્થને જન્મ-મરણ સાથે જોડાયેલા અનેક સવાલોના જવાબ હજી મળ્યા નહોતા. તેથી જ તેમણે એકલા હાથે ધ્યાન કરવાનું નક્કી કર્યું. તેઓ પશ્ચિમ તરફથી આવતા નિરંજના નદી પાર કરીને ડુંગેશ્વરી પર્વત પર પહોંચ્યા. અહીંની ગુફામાં, તેઓ પોતાની જાતને કષ્ટ આપી તપ કરવા લાગ્યા. તેમણે શરૂઆતમાં ચોખા અને પાણી પીને તપ કરવાનું શરૂ કર્યું, થોડા દિવસો પછી તેમણે અન્ન અને પાણીનો ત્યાગ કર્યો અને તપ કરવાનું શરૂ કર્યું.

ઘણા દિવસો સુધી અન્ન ન લેવાથી તેઓનું શરીર ખૂબ જ નબળુ પડી ગયુ. શરીરની કમજોરી અને નબળાઈને કારણે હાડકાં બહાર આવી ગયાં. અચાનક તેમને આત્મજ્ઞાન થયુ કે શરીર અને આત્મા એક જ અસ્તિત્વના ભાગો છે. તેથી શરીરને કષ્ટ આપવુ એ મનને પણ કષ્ટ આપેેેલ ગણાશે. ત્યારબાદ તેમણે સંકલ્પ કર્યો, કે તેઓ શરીરનું ધ્યાન રાખીને મનનું ધ્યાન કરશે.

એકવાર સિદ્ધાર્થ નિરંજના નદીમાં સ્નાન કરવા આવ્યા અને ત્યારપછી તેઓ ગુરુબેલા ગામ તરફ જવા લાગ્યા. થોડે દૂર ચાલ્યા પછી, અચાનક શ્વાસ બંધ થતાં તેઓ બેહોશ થઈ ગયા. એવામાં એક ગોવાળની ​​પુત્રી સુજાતાને તેની માતાએ વન દેવતાને ખીર અર્પણ કરવા મોકલી હતી. સુજાતાની સાથે તેની દાસી પૂર્ણા પણ હતી.

જ્યારે સુજાતાએ તથાગતને વડના ઝાડ નીચે બેભાન અવસ્થામાં જોયા. તો તેણીએ તેમને પાણી અને કટોરો ભરી દૂધથી પાવ્યુ. આનાથી તેમને થોડીક શક્તિ મળી. તેઓ બેઠા થયા અને ખીર ખાધી. શરીર દુઃખ અને તપશ્ચર્યાનો ત્યાગ કરીને અન્ન ખાવાની સિદ્ધાર્થની વાત જ્યારે તેમના 5 સાથી સાધુઓને ખબર પડી તો તેઓ તેમને છોડીને ચાલ્યા ગયા.

સિદ્ધાર્થ ગૌતમને જ્ઞાન પ્રાપ્ત થયુંઃ

સુજાતા, જેમણે બોધિસત્વ રાજ્યમાં તથાગત બુદ્ધને ભોજન દાન કર્યું હતું. તે બૌદ્ધ ઇતિહાસનો અભિન્ન ભાગ બની ગયો. સિદ્ધાર્થ ગૌતમ ધ્યાન માટે ગુરુબેલા જવા નીકળ્યા. અહીં આવ્યા પછી તેઓ પીપળ એટલે કે બોધિ વૃક્ષ નીચે પદ્માસનમાં બેઠા. શરીર અને મનના પ્રથમ ધ્યાનને કારણે સિદ્ધાર્થ ગૌતમનું મન, શરીર અને શ્વાસ એક થઈ ગયા.

તેમને ઊંડી સમાધિ અવસ્થાનો અનુભવ પહેલેથી જ હતો. પછી તેઓ પરમસમાધિના ઊંડાણમાં ઊતરી ગયા. તેથી જ તેમને સારસ્વત સત્યના દર્શન થયા. તેમની બધી શંકાઓ અને ભ્રમણાઓનો નાશ થયો. તેમને અપાર શાંતિ મળી. ગૌતમ 7 દિવસ અને 7 રાત સતત બોધિ વૃક્ષ નીચે બેઠા છેવટે તેમને વૈશાખ પૂર્ણિમાની રાત્રે બોધ પ્રાપ્ત થયો.

તેમણે જોયું કે જેનું નિર્માણ થાય છે, તે નાશ પામે છે. એક જીવ કેવી રીતે જન્મ અને મૃત્યુની સાંકળમાંથી પસાર થાય છે. જીવન સમુદ્રના મોજા જેવું છે. મોજાઓ ઉછળે છે, પડે છે. પણ સાગર ન તો જન્મે છે ન મૃત્યુ પામે છે.

સિદ્ધાર્થ ગૌતમે જન્મ અને મૃત્યુથી પાર સાક્ષત્કાર કર્યો. તેમણે તેની ચેતના દ્વારા એ જાણયુ કે, જીવ શા માટે પીડાય છે? અજ્ઞાનતાનું કારણ શું છે? લોભ, લાલચ અને અહંકારથી શું નુકસાન થાય છે? દુ:ખમાંથી કેવી રીતે છુટકારો મેળવવો? આ તમામ બાબતોનું રહસ્ય જાણયુ. પછીથી તથાગતે તેમને ચાર ઉમદા સત્ય કહ્યા.

ત્યારપછી, ઊંડી ધ્યાનની અવસ્થામાં સિદ્ધાર્થ ગૌતમને લાગ્યું કે જન્મો-જન્મના ચક્રોમાંથી મુક્તિ મેળવ્યા પછી જ આનંદની વર્ષા થાય છે. તેનાથી તેમની દુનિયા બદલાઈ ગઈ. તેઓ સિદ્ધાર્થ ગૌતમમાંથી સમ્યક સ્મબુદ્ધ થઇ ગયા. અસીમ કરુણાનો ઉદય થયો. હવે તેઓ ગૌતમ બુદ્ધ તરીકે ઓળખાવા લાગ્. જે વૃક્ષ નીચે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેને બોધિ વૃક્ષ કહેવામાં આવતું હતું.

બોધગયા બિહારમાં આ બોધિ વૃક્ષ આજે પણ મોજૂદ છે. જે સમયે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયુ ત્યારે તેમની ઉંમર 35 વર્ષની હતી. તેમને મૃત્યુમાંથી અમરત્વ તરફ આવવાનો માર્ગ મળી ગયો હતો. તેમણે દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આ દિવ્ય જ્ઞાનને સમગ્ર વિશ્વમાં ફેલાવવા માટે, તેઓ પ્રવાસ માટે નીકળી પડ્યા.

ગૌતમ બુદ્ધના ઉપદેશોઃ

એવી માન્યતા પ્રચલિત છે કે 7 દિવસ અને 7 રાતની કઠોર તપસ્યા કર્યા પછી જ્યારે ગૌતમ બુદ્ધને જ્ઞાન થયું. ત્યારબાદ તેઓ મૌન થઈ ગયા. તેમના મૌનથી આખું દેવલોક ધ્રૂજી ઊઠ્યું. બધા દેવતાઓ વિચલિત થઈ ગયા અને વિનંતી કરવા લાગ્યા. હે બુદ્ધ! તમારું મૌન તોડો.

આ દુનિયાને સાચો રસ્તો બતાવો. યુગોની તપસ્યા પછી માણસ બુદ્ધ બને છે. જો તમે મૌન થશો, તો આ જગત કાયમ માટે શાંત થઈ જશે. ત્યારપછી તેઓ આ દિવ્ય જ્ઞાનનો ફેલાવો કરવા ભ્રમણ માટે નિકળ્યા. 5 બ્રહ્મચારીઓ કે જેમણે ગૌતમ બુદ્ધને આનંદી માનીને છોડી દીધા હતા. તેઓ સારનાથમાં આધ્યાત્મિક સાધના કરી રહ્યા હતા.

જ્યારે ગૌતમ બુદ્ધ ત્યાંથી પસાર થયા તો આ 5 બ્રહ્મચારીઓએ ગૌતમ બુદ્ધનો દિવ્ય ચહેરો જોયો. ચહેરનું તેજ જોઇને જ તેઓ સમજી ગયા કે તેમણે બૌદ્ધની પ્રાપ્ત થઇ ચુકી છે. તે પાંચેય જણ ગૌતમ બુદ્ધના પગે પડ્યા. બુદ્ધે તેમને પોતાના શિષ્ય બનાવ્યા. તેમણે સારનાથમાં જ તેમને ઉપદેશ આપ્યો હતો. આ ઉપદેશમાં બુદ્ધે કહ્યું. પવિત્ર જીવન જીવવા માટે, મર્યાદાઓનું પાલન કરો. તૃષ્ણા-ઇચ્છા-મોહને ત્યાગી દો. જાતિના ભેદભાવનો અંત લાવો.

દરેક સાથે હંમેશા કોમળ અને મધુર વર્તન કરો. ગૌતમ બુદ્ધના આ ઉપદેશને ધર્મ ચક્ર પ્રવર્તતા કહેવામાં આવતું હતું. આ ઉપદેશ ખૂબ જ સરળ અને સ્વીકાર્ય હતો. બધાને તેનાથી ફાયદો થયો. થોડાક જ સમયમાં, બુદ્ધના સેંકડો શિષ્યો બની ગયા. આ પછી તેમણે આખા દેશમાં ધર્મનો પ્રચાર શરૂ કર્યો. તેમણે પોતાના 7 મુખ્ય શિષ્યોને ચારેય દિશામાં ધર્મના પ્રચાર માટે મોકલ્યા.

ગૌતમ બુદ્ધ વર્ણ ભેદભાવ અને યજ્ઞમાં આહુતી બલિદાન માટે કરવામાં આવતી હિંસાના સખત વિરોધી હતા. તેઓ કહેતા હતા કે હિંસા માનવ ધર્મ નથી. જો તમારે બલિદાન આપવું હોય તો જીવોનો બલિદાન આપવાને બદલે તમારા દુર્ગુણો અને ઈચ્છાઓનો બલિદાન આપો.

ગૌતમ બુદ્ધે જાતિ, વર્ણ ભેદભાવનો સખત વિરોધ કર્યો હતો. આ વિશે તેઓએ કહયુ હતું કે કોઈ પણ મનુષ્ય જન્મથી બ્રાહ્મણ કે શુદ્ર નથી. હું બ્રાહ્મણ પણ નથી. હું ક્ષત્રિય પણ નથી. હું વૈશ્ય કે શુદ્ર પણ નથી. આ બધા માત્ર ધર્મના ઢોંગ છે. હું એક સામાન્ય વ્યક્તિ છું.

ગૌતમ બુદ્ધનું મૃત્યુઃ

ગૌતમ બુદ્ધનું મૃત્યુ ઇ.સ. પૂર્વે ૪૮૩માં કુશીનારામાં થયું હતું. તેમના મૃત્યુને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ મહાપરિનિર્વાણ કહે છે. પરંતુ તેમના મૃત્યુ અંગે, ઘણા બૌદ્ધિકો અને ઇતિહાસકારો એકમત નથી. એવું પણ માનવામાં આવે છે કે એક વ્યક્તિએ મહાત્મા બુદ્ધને મીઠા ભાત અને રોટલી ખવડાવી દીધી હતી. મીઠા ભાત ખાધા પછી તેને પેટમાં દુખાવો થયો. જે બાદ તેમનું મોત થયું હતું.

ગૌતમ બુદ્ધના મૃત્યુ પર લોકો 6 દિવસ સુધી તેમના અંતિમ દર્શન માટે આવતા રહ્યા. સાતમા દિવસે મૃતદેહને અગ્નીદાહ આપવામાં આવ્યો. ત્યારપછી મગધના રાજા અજાતશત્રુ, કપિલવસ્તુના શાક્યો અને વૈશાલીના લિચ્છવી વચ્ચે તેમના અવશેષોને લઈને ઝઘડો થયો.

જ્યારે વિવાદ વધુ ઉગ્ર બન્યો ત્યારબાદ દ્રોણ નામના બ્રાહ્મણે સમાધાન કર્યું અને વચગાળાનો રસ્તો કાઢયો કે ભગવાન બુદ્ધના અવેશેષોને 8 ભાગોમાં વહેંચવામાં આવે. ત્યારબાદ આ અવશેષો 8 રાજ્યોમાં 8 સ્તૂપોમાં સંગ્રહિત કરવામાં આવ્યા હતા. એવું પણ માનવામાં આવે છે કે પાછળથી અશોકે તેમને બહાર કાઢી તેને 83,000 સ્તૂપમાં વહેંચી દીધા.

ગૌતમ બુદ્ધ જયંતિ 2024

હિંદુ કેલેન્ડર મુજબ, બુદ્ધ જયંતિ દર વર્ષે વૈશાખની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધનો જન્મ આ દિવસે થયો હતો. ગૌતમ બુદ્ધને ભગવાન વિષ્ણુનો નવમો અવતાર માનવામાં આવે છે.

વૈશાખ પૂર્ણિમા તમામ તિથિઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દાન કરવાથી તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. બૌદ્ધ ધર્મમાં પણ આ દિવસનું વિશેષ મહત્વ છે.

ગૌતમ બુદ્ધ સુવિચારઃ

  • “જે વ્યક્તિ થોડામાં જ સંતોષ માને છે, સૌથી વધુ ખુશી તેની પાસે જ હોય છે માટે તમારી પાસે જેટલુ છે તેનાથી ખુશ રહો.”
  • “ક્રોધ કરવો એ કોઈ બીજા વ્યકિત પર ફેંકવાના ઈરાદે ગરમ કોલસાને પકડી રાખવા જેવું છે, જેમાં વ્યક્તિ પોતાની જાતને બાળી નાખે છે.”
  • “જો તમે અંધકારમાં ડૂબેલા હોય તો તમે પ્રકાશની શોધ કેમ નથી”
  • “તમારી પ્રગતિને અવરોધે તેવા લોકો સાથે રહેવા કરતાં એકલા રહેવું વધુ સારું છે”
  • “જો તમે તમારી પાસે રહેલી વસ્તુઓની કદર નહી કરો, તો તમને ક્યારેય સુખ મળશે નહીં.”
  • “જ્યારે તમારા વિચારો કોઈની સંગતથી શુદ્ધ થવા લાગે, ત્યારે તમારે સમજી લેવું જોઈએ કે તે કોઈ સામાન્ય વ્યક્તિ નથી.”
  • “આપણી ઈચ્છાઓ આપણા બધા દુ:ખોનું કારણ છે તેથી જો ઈચ્છાઓ મારી નાખવામાં આવે તો બધા દુઃખોનો અંત આવી જાય છે”
  • “જે વ્યક્તિ બીજાને પ્રેમ કરતી નથી તેની પાસે ખુશ રહેવાનું કોઈ કારણ નથી.”
  • “તમે જેવુ વિચારો છો તેવા જ બનો છો, તેથી સારા બનવા માટે હંમેશા સારું વિચારો”
  • “જો તમે બીજા માટે દીવો પ્રગટાવો છો, તો એ દીવો તમારો માર્ગમાં પણ પ્રકાશ ફેલાવે છે”

આ ૫ણ વાંચો:-

  1. રવિશંકર મહારાજનો જીવનપરિચય
  2. સંત કબીર સાહેબનો પરિચય
  3. સંત તુકારામનું જીવનચરિત્ર
  4. નરસિંહ મહેતા વિશે માહિતી
  5. સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ 

હુ આશા રાખુ છુ કે તમને અમારો ગૌતમ બુદ્ધનો જન્મ, ઇતિહાસ, વિચારો, વાર્તા, માહિતી (Gautam Buddha in Gujarati) લેખ ખુબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યકિતઓના  જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

2 thoughts on “ભગવાન ગૌતમ બુદ્ધ નો ઇતિહાસ, વાર્તા, જન્મ, વિચારો, માહિતી | Gautam Buddha in Gujarati”

  1. મે બુદ્ધ ભગવાન ની વાત વાંચી ને આનંદ મળ્યો.આવી બીજી ભગવાન. બુદ્ધ ની varta ni what’s up જોઈએ છે.

Leave a Comment